June 24, 2025
Jain World News
Jain FestivalJainism

જૈન ધર્મનો સૌથી મહાન તહેવાર એટલે મહાવીર જન્મ કલ્યાણક

જૈન ધર્મની પોતાની આગવી ઓળખ છે. દરેક ધર્મમાં ઘણા બધા તહેવારોનો સમાવેશ થાય છે. ત્યારે જૈન ધર્મમાં ઉજવવામાં આવતાં તહેવારોની વર્ષ દરમિયાન ચોક્કસ તારીખો પર થાય છે. આમ આ તહેવારો જૈન તીર્થકરોના જીવન પ્રસંગોને આધિન હોય છે અથવા તો આત્માને શુદ્ધ કરવાના ધ્યેયને અનુસરીને તહેવારો મનાવવામાં આવે છે. દરેક તીર્થંકરના જીવનની પાંચ મુખ્ય પ્રસંગ છે. જે મોટાભાગે પાંચ મુખ્ય જૈન તહેવારો સાથે સંકળાયેલી હોય છે. જૈન તહેવારોમાં માતાના ગર્ભમાં ઉતરવું, જન્મ, ત્યાગ, સર્વજ્ઞતાની પ્રાપ્તિ અને અંતિમ મુક્તિનો ખ્યાલ પૂરો પાડે છે.

જૈન ધર્મનો સૌથી મહાર તહેવાર એટલે મહાવીર જયંતિ. જૈન ધર્મના સ્થાપક અને 24મા તીર્થંકર ભગવાન મહાવીરની જન્મજયંતિની ઉજવણી ચૈત્ર મહિનાનાં તેરમા દિવસે મનાવવામાં આવે છે. આ મહિનો ઉગતાં ચંદ્રનો મનાય છે. જૈન ધર્મમાં મહાવીર જયંતિની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. મહાવીર જયંતિના દિવસે તમામ જૈન મંદિરો ઉપર ભગવા ધ્વજ લહેરાવામાં આવે છે. જૈન ધર્મના બંને સંપ્રદાયો દિગમ્બરો અને શ્વેતાંબર મહાવીરના શુભ જન્મ (ખાલનાયક)ની સ્મૃતિ કરે છે.

મહાવીર જયંતિ નિમિત્તે ભગવાન મહાવીરની મૂર્તિને દૂધ રાખીને ઔપચારિક સ્નાન (અભિષેક) કરવામાં આવે છે. આ દિવસે જૈન અનુયાયીઓ તેમના ધાર્મિક ગુરુઓ અને તીર્થંકરોને આદર આપવા જૈન ધર્મના પવિત્ર સ્થળો પર જાય છે. કોલકાતાના પાર્શ્વનાથ મંદિર, ઉત્તર પ્રદેશના હસ્તિનાપુર અને બિહારના પાવાપુરી જેવા જૈન મંદિરોમાં આ તહેવાર ખાસ કરીને નોંધપાત્ર છે. ગુજરાત અને રાજસ્થાનમાં જૈનોની બહુમતી હોવાથી ત્યાં પણ મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

Related posts

શ્રી રાયણ પગલા ના સ્તવન વિશે તમે શું જાણો છો?

admin

સિદ્ધ ઇન્દ્રજાળ ની સ્થાપનાથી દૈનિક આવક અને વ્યવસાયમાં મેળવો પ્રગતિ, જાણો સિદ્ધ ઇન્દ્રજાળ નાં અનેક ફાયદાઓ

admin

સુંદર અને શાનદાર કોતરણીથી બનાવેલું જોધપુરનું શ્રી ચંદન પાર્શ્વ પદ્માવતી તીર્થ

admin

Leave a Comment