June 24, 2025
Jain World News
Jain FestivalJainism

જૈનોમાં જ્ઞાનની સમૃદ્ધી કરાવતો તહેવાર “જ્ઞાન પંચમી”

જૈન સમુદાયમાં ધાર્મિક તહેવારોને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. જૈન ધર્મમાં જ્ઞાન પંચમી એ મહત્વપૂર્ણ તહેવારોમાંથી એક છે. આ ઉત્સવની પણ વિશેષતાં જોવા મળે છે. આ તહેવારમાં જ્ઞાનને પીરસવામાં આવે છે. લોકોને જેટલું બને એટલું જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે પુસ્તકની પ્રસ્તુતી અને તેનું પુજન કરવામાં આવે છે. આમાં સાર અને ખરાબ વચ્ચેના તફાવતને સમજવાની અનુભૂતી આ તહેવારમાં જોવા મળશે. એટલે જ્ઞાનની સમૃદ્ધી કરાવતો તહેવાર મનાય છે.

“જ્ઞાન પંચમી” જૈનોની તમામ રજાઓમાં સૌથી મહત્વની છે. આમ તેને લાભ પંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત આ દિવસને જયા પંચમી એટલે કે પાંડવ પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશેષમાં કહિંએ તો સૌભાગ્ય પંચમી અને લાભ પંચમી એક જ દિવસના બે નામ છે. દિવાળી પછીના પાંચમા દિવસે આયોજિત આ પ્રસંગ ફક્ત વધુ શાણપણ મેળવવાના હેતુ માટે છે. “જ્ઞાન પંચમી” એ કારતકના પાંચમા દિવસ ઉજવવામાં આવે છે. જેથી તેને “જ્ઞાન દિવસ” તરીકે ઓળખાય છે. આ દિવસે પવિત્ર ગ્રંથો પ્રસ્તુત કરવાં અને પુસ્તકનું પુજન કરવામાં આવે છે. આંતરિક આત્માનો સહજ પ્રકાશ “જ્ઞાન” તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે આ પ્રકાશ માણસોને સારા અને ખરાબ વચ્ચેનો તફાવત કરવામાં મદદ કરે છે. જ્ઞાનને ‘ત્રીજી આંખ’ અથવા ‘બીજો સૂર્ય’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અંતર્ગત આંતરિક પ્રકાશ અજ્ઞાનને દૂર કરવા અને કર્મ જ્ઞાનને પ્રગટ કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે, તેથી શાણપણ અજ્ઞાન અથવા મૂર્ખતાને બદલે છે.

Related posts

જૈન તત્વજ્ઞાન પ્રમાણે બધા જ તીર્થંકરો એકવાર તો સામાન્ય મનુષ્ય જ હતા, જાણો તીર્થંકરપણુ શું કરવાથી પ્રાપ્ત થશે | જૈન ધર્મ વિશેષ

admin

જૈન ધર્મના 15માં તીર્થંકર શ્રી ધર્મનાથ ભગવાન

admin

તમે કેટલા દિવસ આંબેલ ઉપવાસ કર્યા? શ્રીપાળ કથા – પ્રવચન PART 14

admin

Leave a Comment